Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાદડીયા પરિવાર સમાજ જામકંડોરણા તફરથી જામકંડોરણા કોવીડ સેન્ટરને રૂ.૧પ૧૦૦૦ નું અનુદાન

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા.૧પઃ હાલમાં કોરોના મહામારીમાં સરકારશ્રીની કામગીરીની સાથે સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આ સેવાકિય કામગીરીમાં આગળ આવી કોવીડ સેન્ટરો શરૂ કરી દરિદ્રનારાયણોની સેવા કરી રહી છે. સાથે સાથે આ સેવાકીય કામગીરી જોઇ અનેક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજો દ્વારા અનુદાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે ચાલતા કોવીડ કેર સેન્ટરમાં જામકંડોરણા રાદડીયા પરિવાર સમાજ દ્વારા રૂ.૧પ૧૦૦૦ નું અનુદાન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને રાદડીયા પરિવારના સભ્યો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

(11:43 am IST)