Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કન્ટેઇનમેન્ટ ઝોનમાં બેરીકેડની અંદર આવેલ રાશનની દુકાનો ખુલશ નહિ : બેરીકેડિંગ વિસ્તારના લોકો રાશનની દુકાન પર જઈ શકશે નહીં

જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડા આદેશ

જામનગર : જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડા આદેશ અનુસાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં બેરીકેડની અંદર આવેલ રાશનની દુકાનો ખુલશે નહીં અને બેરીકેડિંગ કરેલ વિસ્તારના લોકો રાશનની દુકાન પર જઈ શકશે નહીં. તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. આ સુચનનો ભંગ કરનારની સામે એફ.આઇ.આર. દાખલ કરવામાં આવશે.

હોમ કોરન્ટાઇન થયેલ વ્યક્તિના ઘરમાંથી પણ કોઈ પણ સભ્ય બહાર નીકળી સસ્તા અનાજની દુકાન એ જઈ શકશે નહીં અને આ સૂચના નો ભંગ કરનાર વિરુદ્ધ પણ એફ.આઈ.આર. દાખલ થશે.

(10:04 pm IST)