Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

તાલાલાના હડમતિયા અને ઉનાનું સિમર ગામ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

લોકોની અવર-જવર પર પ્રતિબંધ : જહારનામું બહાર પડાયું

ગીર સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.

તાલાળા અને ઉના તાલુકાના કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. તાલાળા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયત અને ઉના તાલુકાના સીમર ગ્રામપંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે.

(1:56 pm IST)