Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જામનગરની જી.જી હોસપીટલમાંથી કોરોના પોઝિટિવ અન્ય બે દર્દીઓને રજા અપાઈ

મુંબઈથી આવેલા એક સદગૃહસ્થ તથા એસઆરપી ચેલાના એક જવાનની તબિયતમાં સુધારો થતા રજા અપાઈ

 જામનગર :જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ની કોવિડ-૨૯ હોસ્પિટલ માટેના સતત બીજા દિવસે પણ સારા સમાચાર મળ્યા છે. જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા  કોરોના સંક્રમિત  અન્ય બે દર્દીઓ સાજા થયા છે. અને તેઓને આજે રજા આપવામાં આવી રહી છે. મુંબઈથી આવેલા અને સિંગાપોર જઇ રહેલા એક સદગૃહસ્થ નો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે અમદાવાદ ફરજ બજાવીને પરત ફરેલા ચેલા સેક્ટરના એસઆરપી જવાન નો પણ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે બંનેની તબિયતમાં સુધારો થતા આજે રજા અપાઈ છે.

(1:49 pm IST)