Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જામનગરમાં સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે લગ્નપ્રસંગ સંપન્નઃ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ

જામનગર, તા.૧૫: નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીને નાથવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે ત્યારે જામનગર ખાતે એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો. જેમાં જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાના સુપુત્ર હર્ષવર્ધનસિંહ ઝાલા તથા રૂષિરાજસિંહ હિંમતસિંહ ચુડાસમાના સુપુત્રી ઇશ્વરબા ચુડાસમાના લગ્ન આશરે ર૦ વ્યકિતઓની હાજરીમાં યોજાયા હતા. ઉપસ્થિત ર૦ મહેમાનો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવેલ હતું તેમજ નવદંપતિ સહિતના દરેક વ્યકિતઓએ માસ્ક પહેરી લગ્ન વિધી સંપન્ન કરાઇ હતી. આ લગ્ન પ્રસંગમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા અને અન્ય નાગરિકો માટે પ્રેરણાદાઇ આ લગ્નોત્સવને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખશ્રી દેવેન્દ્રસિંહ પરમાર તથા શહેર અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ સોની ઉપસ્થિત રહ્યાં હતા.(

(1:15 pm IST)