Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જામકંડોરણાના શ્રમિક યુવાન પર વિજળી પડતા કરૂણ મોતઃ શોકનું મોજ

બે પુત્રી એક પુત્ર સહિત ૩ સંતાનોનો આધાર છીનવાતા પરિવાર પર આફત

ધોરાજી તા. ૧પઃ જામકંડોરણાના બોરીયા ગામે રહેતા અને ખેતીમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ગીરીશભાઇ પુનાભાઇ ખુંટ (ઉ.વ. ૪પ) વાળા પોતાની વાડીએ ગયેલ અને વરસાદ ચાલુ થયેલ તે અરસામાં ખેડુત ગીરીશભાઇ માથે વિજળી પડતા તેઓને જામકંડોરણા સરકારી દવાખાને સારવારમાં લાવેલ હતા અને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા હતા ત્યાં સારવાર દરમ્યાન ખેડુતનું કરૂણ મોત થયેલ હતું.

મરણ જનાર બે ભાઇ હતા અને પોતે મોટા હતા અને પરીવારમાં બે પુત્રીઓ અને એક પુર એ પિતાની છત્રછાયા ગુમાવી હતી. મરણ જનારની અંતિમ યાત્રત્રા આજે બોરીયા ગામે નીકળી હતી.

આ બનાવ અંગે જામકંડોરણાના બીટ જમાદાર ડી. પી. કટોચ તપાસ ચલાવી રહેલ છે.

(11:48 am IST)