Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં નવો વળાંક :ભચાઉ કોર્ટે મનીષા ગોસ્વામી સહીત ચાર આરોપીઓ ભાગેડુ જાહેર કર્યા

આરોપી છબીલ પટેલ અને જયંતિ ઠક્કર સામે ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરાશે

 

ભુજ : કચ્છ ભાજપના અગ્રણી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ભચાઉ કોર્ટે મનીષા ગોસ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે.

  મનીષા ગોસ્વામી ઉપરાંત સુરજીત ભાઉ, નીખીલ થોરાત અને રાજુ ધોત્રેને ભચાઉ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. તો આરોપી છબીલ પટેલ અને જયંતિ ઠક્કર સામે ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળીની મુંબઈ જતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
 
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી.

(12:48 am IST)