Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાવનગરના અપહૃત યોગેશભાઈનો અપહરણકર્તાની ચુંગાલમાંથી છુટકારો :કાળિયાબીડમાંથી છોડાવી લીધા

ક્રેસન્ટ સર્કલ પાસેથી ચાર શખ્શો ઉઠાવી ગયા બાદ પોલીસે પગેરું દબાવી મુકત કરાવ્યા

ભાવનગરમાં અપહરણકારોની ચુંગાલમાંથી અપહૃત યોગેશભાઈને છોડાવી લેવાયા છે ક્રેસન્ટ સર્કલ પાસેથી ચાર શખ્સો દ્વારા અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યું હતું આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ભાવનગર પોલીસે યુવાને કાળિયાબીડ વિસ્તારમાંથી છોડાવી લીધો હતો.

   આ અંગેની વિગત મુજબ ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસેથી યોગેશભાઈ નામના યુવાનને 4 શખ્સો ઉઠાવી ગયા હતા. આ અંગે ભાવનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાતા જ પોલીસ હરકતમાં આવી હતી. યુવાનની ભાળ મેળવવા કવાયત આદરી હતી. જેમાં અપહરણકારો અપહૃત યોગેશ કાળિયાબીડ વિસ્તારમાં લઈ ગયાની જાણ થતાં જ પોલીસે પગેરું દબાવ્યું હતું. જેમાં યોગેશભાઈને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી લીધાં હતા.

યોગેશભાઈને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાને પગલે તેઓ ઘાયલ થઈ ગયા હતા. પોલીસે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. SOG, LCBએ અપહરકારોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

(8:07 pm IST)