Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભેસાણનાં છોડવડીમાં માતાજીના પોણા લાખના દાગીનાની ચોરી

ખુલ્લા મંદિરમાંથી તસ્કરો કળા કરી ગયા

જુનાગઢ તા. ૧પઃ ભેસાણનાં છોડવડીમાં તસ્કરો માતાજીનાં ખુલ્લા મંદિરમાંથી રૂ. ૭૦ હજારના દાગીનાની ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતા પટેલ લાલજી બાવાભાઇ ગોંડલીયાનાં મકાનનાં ફળિયામાં તેમના કુટુંબનાં કુળદેવી માતાજીનું મંદિર આવેલ છે.

ગત તા. ૧પ એપ્રિલનાં રોજ માતાજીનું મંદિર ખુલ્લું હતું ત્યારે કોઇ અજાણ્યા શખ્સો માતાજીનું છતર સહિત સોના-ચાંદીનાં ઘરેણાં વગેરે રૂ. ૭૦ હજારની કિંમતની માલમતા ચોરી ગયા હતા.

આ અંગે તપાસ કરવા છતાં દાગીના હાથ નહિં લાગતા આખરે ગઇકાલે લાલજીભાઇ ગોંડલીયાએ ફરિયાદ કરતા ભેસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)