Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

થાનના આંબેડકરનગરમાં આર્થીક ભીંસથી કંટાળી લાભુભાઇ ચમારનો આપઘાત

પિતાને સળગતા જોઇ બચાવવા જતા પુત્ર ભરત દાઝયો

રાજકોટ, તા. ૧પ : સુરેન્દ્રનગરના થાનમાં આર્થીક ભીંસથી કંટાળી ચમાર પ્રૌઢે સળગી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ થાનના આંબેડકરનગર શેરી નં.૪માં રહેતા લાભુભાઇ હમીરભાઇ વાળા (ઉ.વ.પપ) (ચમાર) ગઇકાલે પોતાના ઘરે પોતાની જાતે કેરોસીન છાંટી સળગી ઉઠતા પુત્ર ભરત (ઉ.વ.૩પ) પિતાને સળગતા જોઇ તેને બચાવવા જતા તે પણ દાઝયો હતો. બાદ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં ત્યાં લાભુભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ. રાણાભાઇ એ પ્રાથમિક કાગળો કરી થાન મોકલ્યા છે.

(11:45 am IST)