Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

દ્વારકાના દરીયામાંથી દંપતીનો મૃતદેહ મળ્યો

આપઘાત કે અન્ય કારણ તે અંગે તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૫: દેવભુમી  દ્વારકાના દરીયા કિનારેેથી દંપતીનો મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહીતી મુજબ દેવભુમી સનસેટ પોઇન્ટ નજીક દરીયામાંથી નીકીતાબેન અને તેમના પતિ રણજીતભા કેરના મૃતદેહ મળી આવતા નગર પાલીકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.

આપઘાતના કારણે કે અન્ય કોઇ કારણે મોત થયું છે? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(4:04 pm IST)