Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ધો. ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા મોકુફ રાખવા સાવરકુંડલા એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રીની માંગણી

૩ દિવસમાં યોગ્ય ન થાય તો શિક્ષણ બોર્ડને ઘેરાવની કેતન ખુમાણની ચિમકી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૫ :. એનએસયુઆઈ ગુજરાતના મહામંત્રી કેતનભાઈ ખુમાણે ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડને પત્ર લખી હાલ ચાલી રહેલા ઘાતક કોરોના સંક્રમણને લઈ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની વાર્ષિક પરીક્ષા રદ કરવા અથવા મોકુફ રાખવા માંગ કરી છે.

કેતન ખુમાણે જણાવ્યુ કે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ જો પરીક્ષાઓ મોકુફ રાખતુ હોય તો કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવા અથવા તો મોકુફ રાખવા માંગણી કરી છે. આ માંગણી પ્રત્યે દિવસ ત્રણમાં યોગ્ય નિર્ણય નહી કરવામાં આવે તો શિક્ષણ બોર્ડને એનએસયુઆઈ દ્વારા ઘેરાવ કરવાની ચિમકી આપવામાં આવી છે.

(12:57 pm IST)