Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૪૧ નવા કેસ : ૫ મૃતદેહના અંતિમ સંસ્કાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબી જીલ્લામાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. સરકારી ચોપડે નવા ૪૧ કેસો નોંધાયા છે જયારે ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે તો કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૫ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસો જેમાં ૦૮ ગ્રામ્ય અને ૧૩ શહેરી વિસ્તારમા, વાંકાનેરના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૮ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૪ અને માળિયાના ૦૩ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને નવા ૪૧ કેસ નોંધાયા છે તો વધુ ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

સરકારી ચોપડે એકપણ મૃત્યુ દર્શાવ્યું નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૫ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા નવા કેસો સાથે એકટીવ કેસનો આંક ૪૪૧ થયો છે.

(12:44 pm IST)