Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજુલામાં આંબેડકર જયંતિનાં ઉજવણીનાં કાર્યક્રમ દરમિયાન લોઠપુરનાં દલિત યુવાને કર્યો આપઘાત

રાજુલા : ગઇકાલે જયારે દલિત સમાજના મસીહા ડો. આંબેડકર જયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમો ચાલી રહ્યા હતા ત્યારે રાજુલા તાલુકાના લોઠપુર ગામના રહેવાસી અને રાજુલાના ફોટોગ્રાફીનું કામ કરતા દલિત યુવાને રાજુલામાં પોતાની ઓફીસમાં સમી સાંજે ૭ થી ૭-૪પ વચ્ચે લાઇટ ગઇ એ વખતે જ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. પોલીસને મૃતક યુવાનની સુસાઇડ નોટ મળી છે પરંતુ આ સ્યુસાઇડ નોટમાં શું લખ્યું છે ? તે જાહેર કર્યુ નથી.

ચર્ચાઇ રહ્યું છે કે મૃતક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો અને લુખ્ખા તત્વો દ્વારા ધમકી મળી હોય આત્મહત્યા કરી લીધી હશે. જો કે પોલીસે આ બાબતને હજુ કોઇ સમર્થન આપતી નથી.

(11:29 am IST)