Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વાંકાનેર રાજ પેલેસમાં પૂ. મોરારીબાપુની પધરામણીઃ સંસ્મરણો વાગોળ્યા

વાંકાનેર તા. ૧પ :.. પંચાસીયા ગામે સદ્ભાવના સંમેલન અને જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓના સન્માન કાર્યક્રમમાં આવી રહેલા પૂ. મોરારીબાપુ એ પ્રથમ વાંકાનેરમાં પ્રવેશતા રાજ પરિવારના આમંત્રણને માન આપી. બાપુ વાંકાનેરના રાજ પેલેસ ખાતે પહોંચતા ત્યાં યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ ભાવવંદના સાથે બાપુને આવકારી. પેલેસમાં પગલા કરાવેલ રાજ પેલેસ ખાતે દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી એવા શ્રી દિગ્વીજયસિંહજી ઝાલા (બાપુ સાહેબ) સાથે એક બીજાના ખબર અંતર પુછી વાંકાનેર-ભાવનગર પરિવાર સાથેનાં સંબંધો  વાગોળ્યા હતાં.

રાજ પેલેસ ખાતે પૂજય મોરારીબાપુએ ફળાહાર કરી ત્યાંથી દેવીપૂજક વાસમાં ગયા હતાં. રાજ પેલેસ ખાતે અમરશીભાઇ મઢવી, અમુભાઇ ઠાકરાણી, ક્રિપાલસિંહ, પ્રદીપભાઇ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આર્શિવાદ લીધા હતાં.

(11:58 am IST)