Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જામનગરમાં પરિણીતા ઉપર હુમલો કરવાના ગુન્હાનાં આરોપી મુકેશ ગોહિલનો આપઘાત કે હત્યા ? તપાસનો ધમધમાટ

જામનગર, તા. ૧૫ :. જામનગરમાં અઠવાડીયા પહેલા પરીણિતા ઉપર છરી ઝીંકીને હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરીણિતા ઉપર હથિયારોના ઘા ઝીંકયા બાદ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરીણિતા વિજયાબેન રમેશભાઈ પરમારે મુકેશ ગોહિલ નામના શખ્સ સામે ફરીયાદ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન મુકેશ ગોહિલની ઠેબા ચોકડી નજીક આવેલ અવાવરૂ કુવામાંથી લાશ મળી આવતા પોલીસે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે અને મુકેશ ગોહિલની હત્યા છે કે આત્મહત્યા ? તે અંગે તપાસ શરૂ કરી છે.

આ બનાવ અંગે જામનગર સીટી એ-ડિવીઝનના અધિકારી શ્રી ગામીતે જણાવ્યુ હતુ કે, હાલમાં આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો ? તે અંગે તપાસ શરૂ કરી છે અને હુમલાનો ભોગ બનનાર વિજયાબેન રમેશભાઈ પરમારની ફરીયાદના આધારે આ પ્રકરણનો ભેદ ઉકેલવા વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ બનાવ અંગે અહીં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા હેમતભાઈ દયાળજીભાઈ પરમાર  ઉ.વ.૩૩, એ સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૪–ર–ર૦૧૮ના આ કામે મરણ જનાર મુકેશભાઈ બાબુભાઈ ગોહિલ, ઉ.વ.૩૦, રે. મેરીયા કોલોની, મહાપ્રભુજીની બેઠક પાછળ, જામનગરવાળા કોઈ પણ કારણોસર થી કુવામાં પડી જતા ડુબી જવાથી મરણ ગયેલ છે.

(5:07 pm IST)