Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પૂ. ચારૂવ્રતાશ્રીજી મ.સ.ની નિશ્રામાં કાલથી

પાટણવાવ ઢંકગિરી મહાતિર્થે ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટઃ તા.૧૫,ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઢંકગિરી મહાતિર્થ તળેટી ખાત કાલે  તા. ૧૬ થી ૧૮ ફેબ્રુઆરી ત્રણ દિવસ  માટે ધાર્મિક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. જેમાં તા. ૧૬મી ફેબ્રુઆરીને  શુક્રવારના રોજ બપોરના ૨ કલાકે ત્રણ પગલા ડેરી માટે પાટલા પૂજન, તા. ૧૭મીને શનીવારના રોજ સવારે ૧૧ કલાકે ખનનૂવિધી અને તા. ૧૮મીને રવિવારના રોજ સિધ્ધચક્ર યંત્રમય જિનાલય અને ડુંગર ઉપર ગિરીરાજ ઉપરના તથા ગામના જિનાલય આમ બધાજ જિનાલયો પર સવારે ૯ વાગે ઢંકગિરી તિર્થોદ્વારિકા સાધ્વીરત્ના પૂ. ચારૂવ્રતાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ધજા ફરકાવવામાં આવનાર છે. આ ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાગ્યશાળી શ્રાવક/શ્રાવિકાઓને ઓસમ જૈન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

(11:26 am IST)