Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ઉના નવા બંદરના દરિયામાં નાંદ્રવાના યુવાનનું ડૂબી જવાથી મોત

ઉના, તા. ૧પઃ તાલુકા નવા બંદર દરિયા કિનારે જેટીથી અડધો કિ.મી. દૂર કોઇપણ રીતે નાંદ્રવા ગામના ભાવેશભાઇ નાનજીભાઇ મેવાડા (ઉ.વ.રપ) બોટમાં માછીમારી કરી પરત ફરેલ અને કોઇ અને કોઇપણ રીતે દરિયામાં ડુબી જતા તેમની લાશ લોકોએ બહાર કાઢી ઉના દવાખાને આવતા ડોકટરે તેમને ડુબી જવાથી મોત થયાનું જાહેર કરેલ.

નવા બંદર મરીન પોલીસમાં મરણજનારના પિતા નાનજીભાઇ વીરાભાઇ મેવાડાએ આ જાહેર કરતા પોલીસે એ.ડી. નોંધી તપાસ પોલીસ જમાદાર એસ.વી. સોલંકી તપાસ કરી રહ્યા છે.

દાઝી જતા ગંભીર

ઉના શહેરમાં વિશ્રામ ગૃહ પાછળ પાણીના ટાંકા પાસે રહેતા શબનાબેન અકબરભાઇ જમરોટ ઉ.વ.૩પ તથા હવાબાઇ અબ્દુલભાઇ (ઉ.વ.૪પ) રે. ઉના વાળા ઘરે ત્યારે અચાનક ભડકો થતાં બન્ને ગંભીર રીતે દાઝી ગઇ હતી. શબાનાબેન અકબરભાઇની સ્થિતિ ગંભીર છે. બન્નેને ઉનાના દવાખાને સારવાર માટે ખસેડેલ હતાં. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

(11:16 am IST)