Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ કરી પૂ. મોરારીબાપુ સોમનાથ મહાદેવના દર્શને

 જુનાગઢ, તા. ૧૪ : રાષ્ટ્રીય સંત કથાકાર પૂ. મોરારીબાપુ તા. ૧૧ થી ૧૩ ત્રણ દિવસ સુધી જૂનાગઢ લોલઢોરી ખાતે રોકાણ કરી શિવરાત્રી મેળા દરમ્યાન શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પૂ. ઇન્દ્રભારતી બાપુને ત્યાં લક્ષ્મણ બારોટના ઉતારો તેમજ શેરનાથ બાપુને ત્યાં સંતવાણીમાં ઉપસ્થિત રહી સંતવાણીનો લાભ લીધો હતો.

તેમજ ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુના અધ્યક્ષ સ્થાને પૂ. મંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેર સભામાં પણ ઉપસ્થિત રહેલ અને આજે સવારે ૧૦ કલાકે ભવનાથ તળેટીથી વિદાય લઇ કોયલી ફાટક પાસે આવેલ ક્ષત્રિય સમાજના આગેવાન પૂર્વ જલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદાને ત્યાં ૧૦:ર૦ થી ૧૧ પોણો કલાક રોકાણ કરી સોમનાથ મહાદેવના દર્શને જવા રવાના થયા હતાં.

(4:30 pm IST)