Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જુનાગઢ સ્‍વ.મુળશંકરભાઇ તેરૈયા પરીવારે મકર સંક્રાંત પર્વે ૫૧ હજારનું દાન આપ્‍યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૫: જુનાગઢ રાજગોર સમાજના સેવાભાવી અને ભિષ્‍મ પિતામહ ગણાતા નિવૃત નાયબ મામલતદાર મુળશંકરભાઇ ભાણજીભાઇ તેરૈયાનું સવા વર્ષ પહેલા અવસાન થતા રાજગોર સમાજને એમની મોટી ખોટ પડી છે.
ત્‍યારે મુળશંકરભાઇ તેરૈયાના સ્‍મરણાર્થે તેમના પરીવાર તરફથી અમદાવાદ ખાતે સંઘ નિર્મિત શ્રી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનના નિર્માણ કાર્યમાં રૂા. ૫૧૦૦૦નું દાન અર્પણ કરેલ છે. સ્‍વ. મુળશંકરભાઇએ સમાજસેવાની જયોત જગાવી હતી. તેમાં આજે પણ તેમના પુત્રો ચંદ્રકાંતભાઇ તેરૈયા, કમલેશભાઇ તેરૈયાએ સેવારૂપી જયોત અખંડ રાખી દાન આપી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરેલ છે. જેને રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા, પ્રમુખ કમલેશભાઇ ભરાડે આવકારેલ છે.

 

(2:07 pm IST)