Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાને પતંગ-દોરાનો શૃંગાર

 વાંકાનેર : સુપ્રસિદ્ધ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શ્રી મકરસંક્રાંતિ (ઉતરાયણ) ઉત્‍સવ નિમિતે શાષાી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી (થાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શનથી કાલે સવારે પ-૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર આરતી ૭-૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ. શ્રી કષ્‍ટભંજનદેવન પતંગો-દોરી, તલના લાડુ, ચીકી, શીંગપાક, ખજુરપાક, કાળા તલનું કચરીયુ, શેરડી, સુખડી વિગેરે ધરાવવામાં આવેલ તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી (અથાણાવાળા), .પૂ. પૂજારી સ્‍વામી ધર્મકિશોરદાસજી (અથાણાવાળા) તથા પાર્ષદ નિલકંઠ ભગત વિગેરે દ્વારા ગૌમાતાને ઘાસચારો-સુખડી નીરીને ગૌમાતાનું પૂજન કરવામાં આવેલ. દાદાના શણગાર આરતી દર્શનનો લ્‍હાવો હજારો હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઇન દર્શનનો લાભ salangpur Hanumanki-Official  યુટયુબ ચેનલ દ્વારા લીધો હતો. (તસ્‍વીર-અહેવાલ : હિતેશ રાચ્‍છ-વાંકાનેર)

(10:30 am IST)