Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુરેન્દ્રનગરમાં મકરસંક્રાંતિના પર્વે લોકોએ જયાફત ઉડાવી

સુરેન્દ્રનગર શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે ઠેરઠેર ઊંધિયા અને બાસુંદી ખમણ ઢોકળા, જલેબી સહિતની ખાદ્ય વસ્તુઓનું બજાર મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ધમધમી હતી. લોકોએ શહેરમાંથી મોટી માત્રામાં ઊંધિયાની ખરીદી કરી અને લાખો રૂપિયાની કિંમતનું ઊંધિયું ખાઈ અને મોજ માણી હતી. સુરેન્દ્રનગર શહેરમાં ઠેરઠેર ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું હતું. સુરેન્દ્રનગર શહેરમાં નામાંકિત દુકાનો ઊંધિયું ખરીદવા માટે ભારે પડાપડી જોવા મળતી હતી. લોકોએ મન ભરી અને મંદીના માહોલમાં પણ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી અને ઊંધિયા, જલેબી, બાસુંદી, રસ પાતરા અને ખમણ સહિતની મોજ માણી હતી.

(1:13 pm IST)