Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

પાલીતાણા પાસે આઇસર પલ્ટી જતા બાળાનું મોત

પીથલપુરનાં સોલંકી પરિવારના ર૪ લોકોને નાની-મોટી ઇજા

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત આઇસર, મૃતક બાળા તથા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : અંકુર મહેતા -પાલીતાણા) (પ-૧૪)

પાલીતાણા તા. ૧પ :.. પાલીતાણા નજીક આઇસર પલ્ટી જતા એક બાળાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જયારે ર૪ વ્યકિતઓને નાની-મોટી ઇજા થતા સારવાર  માટે ખસેડાયા હતાં.

પાલીતાણા તાલુકાના પીથલપુર ગામના સોલંકી પરીવાર આદપુર ખાતે ઋષભ રાજયનો વૈભવ સહ પરીવાર પીથાપુરથી આદપુર સીધ્ધવડ જતા હતો પીથપુરથી ગઇકાલે સાંજે ૬.૩૦ કલાકે નિકળ્યો હતો.

તે વાયા ઘેટી રાણપરડા રોડે જતો હતો. તે દરમ્યાન ૭ કલાકના અરસમાં ૪૦૭ નાનો પલ્ટી રોડ પર મારી ગયો હતો. જેમાં ર૭ લોકો ૪ પરીવારના હતાં.

જેમાંથી ર૪ લોકોને ઇજા થઇ હતી.

જયારે રીધ્ધિ જયસુખભાઇ સોલંકી (ઉ.૧૧) નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતુંે માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી ભાવનગર સારવાર હેઠળ છે જેને હેમરેજ થયો છે. ગાડી ચાલકને પણ ઇજા થઇ છે. એક જ પરીવારના ૪ કુટુમ્બનો સમાવેશ થાય છે. રોડ પર પલ્ટી મારતા ડ્રાઇવર સામે શંકા ની નજર લોકો જોઇ રહ્યા છે.

નાનકડા પીથલપુરના એક પરીવારમાં અકસ્માતના બનાવથી ગમગીની છવાઇ જવા પામી છે. પરીવાર આદપુર ઋષભરા જય જોયા પહેલા જ અકસ્માત સર્જાયો હતો.

(12:14 pm IST)