Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ચોટીલાના મેવાસા(સુ) ગામે પશુપાલન શિબિર યોજાઇ

ચોટીલાઃ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પશુપાલન શાખા શાખા અંતર્ગત પશુ દવાખાના ચોટીલા દ્વારા આયોજન કરવામાં આવેલ જેમા ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા,પ્રાત અધિકારી આર બી અંગારી, મેરૂભાઇ ખાચર, સગ્રામભાઇ સરપંચ, શૈલેષભાઇ ઉપાધ્યાય, સુરેશ ધરજીયા, વિરજીભાઈ પરાલિયા, ભુપતભાઇ ધાધલ, સહિતનાં રાજકિય અને સામાજીક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં આસપાસનાં અનેક ગામનાં પશુપાલકો હાજર રહેલ જેઓને આધુનિક પશુપાલન માટે જરૂરી મહત્વની બાબતો અને તેની સાથે પશુરોગો સામે રાખવાની કાળજી અંગે માહિતી અને માર્ગદર્શન નિવૃત નિયામક કે. નાયકપરા, ડો. રોહિત ભાઇ કાલમા દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા પશુ ચિકિત્સક ડો. બી એ રાબડા ની સાથે થાન ચોટીલા સાયલા નાં પશુ પાલન સંસ્થાના અધિકારીઓએ જહેમત ઉઠાવેલ હતી. તે તસ્વીર.(તસ્વીરઃ હેમલ શાહ)

(12:41 pm IST)