Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પત્નીના હત્યારા કેદી પતિએ ગાંધીધામથી રાજકોટ જેલમાં ખસેડવાની ચિંતામાં ફીનાઇલ પીધું

ભુજ,તા.૧૩: વર્ષ ૨૦૧૫ દરમ્યાન પોતાની પત્નીની કારમાં હત્યા કરીને સળગાવી દેનાર ગાંધીધામના યુવાન પતિ કપિલ નંદવાણીને ગત ૧ જાન્યુઆરીએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તેને પગલે કપિલને ગાંધીધામમાં આવેલ ગળપાદર જેલ હવાલે કરાયો હતો. જેલવાસ દરમ્યાન આગામી અઠવાડિયે કપિલને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવાનો હુકમ થયો હતો. ગળપાદર જેલમાં કેદીને અપાતી કામગીરી અંતર્ગત લાયબ્રેરીમાં કામ કરી રહેલા કપિલ નંદવાણીએ અન્ય કેદીઓની નજર ચૂકાવી ત્યાં કબાટમાં રહેલ ફીનાઇલ પી લીધું હતું. જેને કારણે તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કેદી કપિલે પોતાની જેલ ટ્રાન્સફરની ચિતાને કારણે ફીનાઇલ પીધું હોવાનું બ્યાન આપ્યું છે. પોલીસે આ અંગે જેલરની ફરિયાદને પગલે કપિલ વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)