Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મોરબીના નવલખી રોડ પર તસ્કરોએ તરખાટ મચાવ્યો:છ મકાન અને ત્રણ દુકાનોમાં હાથફેરો

રોકડા અને દાગીના ઉપરાંત તસ્કરો ખજુર અને અડદિયા જેવી ચીજવસ્તુઓ પણ ચોરી કરી ગયા

મોરબી પંથકમાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં મોરબીના નવલખી રોડ પરની સોસાયટીમાં છ મકાનો તેમજ ત્રણ દુકાનોમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની માહિતી મળી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલી લક્ષ્‍મીનારાયણ સોસાયટી અને નજીકના વાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને છ જેટલા મકાનોમાં તસ્કરો રોકડા ને દાગીના જે કાઈ હાથ લાગ્યું તે ઉઠાવી ગયા હતા આટલે થી પણ નહિ અટકતા તસ્કરો ખજુર અને અડદિયા જેવી ચીજવસ્તુઓ પણ ચોરી કરી ગયા છે

જે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાની માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે જોકે બનાવ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી તો વધતા જતા ચોરીના બનાવોને પગલે લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠી છે

(11:36 pm IST)