Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સપ્તાહમાં આઠ ભુકંપના આંચકા અનુભવાયા

 સુરેન્દ્રનગર, તા.૧પઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવતા ઝાલાવાડના લોકો ચિંતીત થઇ ઉઠ્યા છે. સાયલા અને ચૂડા તાલુકામાં હળવા આંચકા નોંધાય છે. ત્યારે છેલ્લા બે દિવસમાં સાયલા તાલુકામાં જ આઠ વાર ધરા ધ્રુજી છે. તા. ૧૧ના રોજ સાયલા તાલુકાના ગામોમાં પાંચવાર અને તા. ૧૨ના રોજ ત્રણ હળવા આંચકા નોંધાયા છે. ૧.૩થી લઇ ૨.૦ની તીવ્રતા સુધીના આંચકા આવ્યા હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટરમાં નોંધાયુ છે.

તા. ૧૧ના રાત્રે ૧૨-૫૪ ૧.૮કાશીપરા, બપોરે ૩-૪૭ ૧.૬ વાંટાવચ્છ, સાંજે ૪-૧૨ ૧.૩ છડીયાળી, સાંજે ૫-૪૫ ૧.૬ જુના જશાપર, સાંજે ૬-૫૫ ૧.૭ જૂના જશાપર તેમજ  તા. ૧૨ જાન્યુ.ના  રાત્રે ૧૨-૩૩  નાથુપરા, બપોરે ૩-૫૬ ૨.૦ મોટા કેરાળા અને ૫-૧૮ ૧.૫ થોરીયાળી તિવ્રતાનો આંચકો નોંધાયો હતો.

(12:02 pm IST)