Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભેંસાણ પંથકમાં મોરારીબાપુ : રાવત ભગતનો સ્મૃતિ ઉત્સવ

ભેંસાણ તાલુકાના સરદારપુર મુકામે લોક સાહિત્યકાર હરદેવભાઈ ચંદુભાઈ આહિર દ્વારા રાવત બાપા ભગત સ્મૃતિ ઉત્સવ ગ્રંથ લોકાર્પણ અને ભાવવંદનાનો કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. જેમાં વિશ્વ વંદનીય સંત પૂ.મોરારીબાપુ પુલાલજી મહારાજ ધુનડા સત પુરાણ ધામ આશ્રમના સંસ્થાપક પૂ.જેન્તીરામબાપા રામેશ્વર આપાગીગા આશ્રમના મહંત પૂ.ગોવિંદબાપુ સદાનંદબાપુ, અખંડાનંદજી, કલ્યાણદાસજી બાપુ તેમજ ગોંડલ સ્ટેટના જયોતિર્મયસિંહજી દિલીપભાઈ સંઘાણી, ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, જવાહરભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હેમંત ચૌહાણ, નિરંજન પંડ્યા, ધીરૂભાઈ સરવૈયા, માયાભાઈ આહિર, જગદીશ ત્રિવેદી, સાંઈરામ દવે સહિતના કલાકારે સંતવાણી રજૂ કરી હતી. એ પ્રસંગની તસ્વીરી ઝલકમાં દિપ પ્રાગટ્ય કરતા પૂ.જેન્તીરામબાપા પૂ.મોરારીબાપુ તેમજ મંચ પર બિરાજેલ સંતો અને ગ્રંથનું લોકાર્પણ કરતા પૂ.બાપુ સંતો સાથે નજરે પડે છે. (અહેવાલ - વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૩૭.૯)

(12:02 pm IST)