Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોરબીમાં ધંધાના ટેન્શનના કારણે જયદીપસિંહ જાડેજાનો આપઘાત

યુવાને ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં અરેરાટી

મોરબી, તા.૧પઃ મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા યુવાનને પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ મોરબીના કાયાજી પ્લોટ શેરી-૧માં રહેતા જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૩પ) એ પોતાના ઘરે ગત તા.૧૨ના ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક યુવાન પરિણીત હોય પરંતુ ધંધાના ટેન્શનમાં આખરી પગલું ભર્યુ હોવાની માહિતી સુત્રો દ્વારા મળી હતી.(૨૩.પ)

(11:42 am IST)