Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નરેન્દ્રભાઈ સોલંકી સહિત ૩૦ સામે ફરીયાદ

ગાળો ભાંડી છરી સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી'તી : કમરમાં રિવોલ્વર પણ ટાંગી હતી

સાવરકુંડલા ખાતે ક્ષત્રીય કડીયા જ્ઞાતીની બેઠકમાં મારામારીનો બનાવમાં રીવોલ્વર કાઢી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવથી શહેરમાં અરેરાટી બોલી ગઈ હતી. ૩૦ ઈશમો વિરૂધ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે સાવરકુંડલા ખાતે ઓલ ઈન્ડિયા ક્ષત્રીય કડીયા જ્ઞાતી સમાજ ના હોદેદારોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં આરોપી નંબર એક આપાગીગા ઓટલાના મહંત પૂ. નરેન્દ્રભાઈ સોલંકીને કોઈપણ જાતનું મહત્વ નહી આપતા જેની દાજ રાખી ગેરકાયદેસર મંડળી રચી સ્ટેજ પર હુમલો કરી ખુરશીની તોડફોડ કરી નુકશાન કરી સાહેદોને ઢીકા પાટુનો માર મારી બિભત્સ ગોળો આપી. ફરીયાદી ગોવિંદભાઈ પરમારને છરી તથા કમરમાં રાખેલ રીવોલ્વર હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નરેન્દ્રભાઈ, નિલેષ ચૌહાણ, કમલેશ ચૌહાણ, આનંદ જાવીયા, હિતેષ જાવીયા, હિતેષ રાઠોડ, શરદ ભરડવા, લાલજી  કિશોર મારૂ, જયેશ રાઠોડ, તેજસ ગાગણી, કાન્તી રાઠોડ, કેતન સાવરેયા, પંકજ, અશ્વિન તથા વિગેરે ૨૫ થી ૩૦ લોકો વિરૂધ્ધ ફરીયાદ ટાઉન પોલીસ સ્ટેશન નોંધાવેલ હતી.

પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૩૦.૧૦)

 

(11:40 am IST)