Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પૂ. સદ્ગુરૂ જગ્ગી વાસુદેવજી સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે... ધન્યતા અનુભવી

વેરાવળ : શ્રી સોમનાથ તીર્થના વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે પહોંચતા સુપ્રસિધ્ધ આધ્યાત્મિક સંત પૂ. સદ્ગુરૂ જગ્ગી વાસુદેવજીનું તથા અદાણી ગ્રુપના શ્રી ગૌતમભાઇ અદાણીનું સ્વાગત ટ્રસ્ટી શ્રી પ્રો. જે. ડી. પરમાર, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. ેકે. લહેરીએ કરેલ. શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને મહાપૂજન કરેલ હતું. આ પ્રસંગે સદ્ગુરૂને ભગવાન સોમનાથજીની છબી સ્મૃતિભેટ સ્વરૂપે આપી સન્માન કરેલ. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં દક્ષિણ ધ્રુવ ખાતે આવેલ સાગરદર્શન ઓડીટોરીયમ ખાતે ઉપસ્થીત સૌ ભકતો સાથે સ્વામીજીએ સત્સંગ કરી શિવ તત્વનું અને મનુષ્ય વચ્ચે જોડાણ અંગે વિસ્તૃત જ્ઞાન આપેલ હતું. આ કાર્યક્રમમાં વેરાવળ-સોમનાથના સામાજીક અગ્રણીઓ તેમજ મહાનુભાવો જોડાયા હતાં.

(11:44 am IST)