Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પાલીતાણાના સગાપરા ગામના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા :બારીની ગ્રીલ તોડીને 85 હજારની મતાની ચોરી

સુરત રહેતા પુત્રને ત્યાં પત્ની સાથે ગયા બાદ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સગાપરા ગામના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતાં. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી

 મળતી વિગતો મુજબ પાલિતાણાના સગાપરા ગામે રહેતા પ્રેમજીભાઈ કુરજીભાઈ ગોટી (ઉ.75)એ આજે રવિવારે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા. 12 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી દરમિયાન ઘર બંધ કરીને સુરત તેના પુત્રના ઘરે પત્ની સાથે ગયા હતાં.

  આ દરમિયાન કોઈ પણ સમયે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ વાડી બાજુની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ડબ્બામાં રાખેલ રોકડ રકમ, વાસણો સહિતનો કુલ રૂ. 85 હજારનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતાં. મકાન માલિક સુરતથી પરત આવતા તેઓને ચોરી થયાની જાણ થઈ હતી.  

   આ બાબતે પાલિતાણા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સગાપર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે

(11:58 pm IST)