Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જામનગર વોર્ડ નં.૩માં રાજયમંત્રી જાડેજા દ્વારા નાગરિકોસાથે લોક સંવાદ સ્નેહ મિલન યોજાયું

જામનગર તા ૧૪  : અહીંની જામનગર ગુર્જર સુતારજ્ઞાતિ વિશ્વકર્મા બાગ ખાતે વોર્ડનં.૩ના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાસીઓ સાથે રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ લોકસંવાદ તથા નુતનવર્ષના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજેલ હતો.

જાડેજાએ નવું વર્ષ સોૈની મનોકામના પુર્ણ કરનારૂ બની રહે તેવી શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય તરીકે વોર્ડનં.૩ ના રહેવાસીઓના વિકાસના કામોને હંમેશા હું મારી ગ્રાન્ટ ફાળવતો આવ્યો છું, જેને લઇને આ વિસ્તારના અનેક વિકાસના કામોને પણ વેગ મળ્યો છે, ત્યારે આજે આપના વિસ્તારના બાકી રહી ગયેલા વિકાસના કામો સહીતના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવાની મને જે તક લોકસંવાદમાં મળી છે.

આ લોકસંવાદમાં વોર્ડનં.૩ના નાગરીકો તરફથી આવેલા જુદા જુદા સુચનો ઉકેલવા મારા પુરેપુરા પ્રયાસો હશે.તેઓએ દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે પ્લાસ્ટીક મુકત અભિયાનને વોર્ડનં.૩ના રહેવાસીઓ વેગવંતુ કરશે તેવી અપીલ સાથે કાગળની બેગ વિતરણ કરી હતી. જાગૃત કોર્પોરેટર દિનેશભાઇ પટેલ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ લોકસંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમને આવકારેલ હતુ઼.

આ લોકસંવાદ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુભાષભાઇ જોષી, કોર્પોરેટર દિનેશભાઇ પટેલ, અલ્કાબા જાડેજા અને શહેર ભાજપ સહમંત્રી ડો. વિમલભાઇ કગથરા, વોર્ડનં.૩ના ભાજપના પ્રમુખ અશ્વિનભાઇ વાપીયા તેમજ આ વિસ્તારના આગેવાનો વિક્રમસિંહ જાડેજા, દિપકભાઇ વાછાણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ખુમાનસિંહ સરવૈયા, દિલિપસિંહ જાડેજા પુષ્પરાજસિંહ રાણા, રતિશભાઇ રામાણી, બિપિનભાઇ પટેલ, દિલિપસિંહ જેઠવા, લક્કીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ કાનાણી, અશોકભાઇ વસીયાર, નરેનભાઇ ગઢવી, ધીરૂભાઇ કારીયા, પ્રો.માલવીયા, દર્શનભાઇ ત્રિવેદી, ઋષિભાઇ ટાંક, કૃપેશભાઇ છાપીયા, અશોકભાઇ બુધ્ધ, દલપતસિંહ પરમાર, અજીતસિંહ જાડેજા, હંસાબેન ભંડેરી, નીસાબેન અસ્વાર, નરેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઇ કનોજીયા, સી.એમ.જાડેજા, અનેક મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહયાં હતા.

કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સુનિલભાઇ આશર, પ્રદ્યુમનસિંહ જાડેજા  (પિન્ટુભાઇ), અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડ એ જહેમત ઉઠાવી હતી.

(12:03 pm IST)