Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કુતિયાણાના ગોકરણના મેણંદભાઇ આહીરની સોનાના બીસ્કીટનો સોદો કેન્સલ થતા અપહરણ બાદ હત્યા કરેલ

અઠવાડિયા પહેલા અપહરણ બાદ હત્યાનો ભેદ ઉકેલતી કુતિયાણા પોલીસ તથા પોરબંદર એલસીબીઃ આરોપીને લઇને જુનાગઢની પલસવા પથ્થરની ખાણમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી જમીનમાં દાટેલી લાશ બહાર કાઢી : જુનાગઢના પ આરોપીઓ સામે ગુન્હો : આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચીને મરણ જનારને મોબાઇલ ફોન કરીને સોનાના બિસ્કીટના ફોટા બતાવવાનું કહીને જુનાગઢ બોલાવેલ હતા

પોરબંદર તા. ૧૪: કુતિયાણાના ગોકરણના મેણંદભાઇ આહીર અઠવાડીયા પહેલા ગુમ થયા બાદ તેની સાથે સોનાના બીસ્કીટનો સોદો કેન્સલ થતા મેણંદભાઇનું અપહરણ કરીને હત્યા કર્યાનો ભેદ કુતિયાણા પોલીસ તથા પોરબંદર એલસીબીએ ઉકેલી લીધો છે

ગઇ તા.૦૭/૧૨/૨૦૧૯ ના રોજ કુતિયાણા પો.સ્ટે ગુમ રજી નંબર ૧૭/૧૯ ના કામે ગુમથનાર મેણંદભાઇ નાથાભાઇ લુવા જાતે આહીર ઉવ ૨૩ રહે ગોકરણ તા કુતીયાણા જી.પોરબંદરવાળો ગુમ થયેલાની નોંધ કુતિયાણા પો.સ્ટે.મા નોંધાયેલ હતી. ત્યારબાદ ર્ંપોરબંદર એસપી શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીર્લં ની સુચના હેઠળ અને પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી  આર.ડી.જાડેર્જાં ના સુપરવિઝન હેઠળ ર્ંકુતિયાણા પો.સબ ઇન્સ.કે.એચ.ગરચર્રં દ્રારા આ બનાવની તપાસ શરૂ કરવામા આવી અને તપાસ દરમ્યાન ટેકનીકલ સોર્સ દ્વારા શકદાર તરીકે અજય અરજણ બટવા આહીર રહે જુનાગઢ બુંદેલા ચોક પાસે વાળાની પો.સબ ઇંન્સ. કે.એસ.ગરચર દ્રારાઙ્ગ પૂછપરછ કરતા જણાયેલ કે,ઙ્ગ ગઇ તા.૦૬/૧૨/૨૦૧૯ ના રોજ આ કામના ગુમથનાર/મરણજનાર મેણંદભાઇ નાથાભાઇ લુવા જાતે આહીર ઉવ ૨૩ રહે ગોકરણ તા કુતીયાણા જી.પોરબંદર. વાળાને આરોપી નં. (૧) અજય સ/ઓ અરજણભાઇ વિક્રમભાઇ બાટવા જાતે આહિર રહે જુનાગઢ સિસુમંગલ પાસે નં-(૨) પિંન્ટુ યોગેશભાઇ બારીયા જાતે રાજપુત રહે. જુનાગઢ ગાંધીગ્રામ સિંધીઙ્ગ સોસાયટી બાપા સિતારામા વાળી ગલી (૩) આશીષ મુંજાભાઇ ઉર્ફે ભગત વાંદા જાતે રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ સિંધીઙ્ગ સોસાયટી (૪) બાવન ઉર્ફે નાથો ઉર્ફે ટકો ભિખાભાઇ મેરામણભાઇ કોડીયાતર જાતે રબારી રહે જુનાગઢ સિંધી સોસાયટી દવાખાના સામે (૫) જીગ્નેશ ઉર્ફે જગુ ઉર્ફે જગદીશ પબા નાથાભાઇ કોડિયાતર જાતે રબારી રહેઙ્ગ જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી સેરી નંબર ૦૪ વાળા તમામ આરોપીઓએ પુર્વઆયોજીત કાવતરૂ રચી મરણજનારને મોબાઇલ ફોન ઉપર સોનાના બિસ્કીટના ફોટા બતાવવા બાબતે મરણજનાર ને મોબાઇલ ફોનથી જાણ કરી સોદો કરવાઙ્ગ માટે જુનાગઢ બોલાવતા સોદો કેન્સલ થતા આરોપીઓએ ગે.કા મંડળી રચી મરણજનારને જુનાગઢ એસ.ટી ડેપોએ જતો રહેલ ત્યાથી અરોપીઓએ મરણજનારનુ અપહરણ કરી બિલખા રોડ ઉપર આવેલ પાવર સ્ટેશન પાછળ પ્લાસવા ગામની સિમમા અવાવરૂ પથ્થર ની ખાણમા લઇ જઇ લાકડી તથા પાઇપ જેવા જીવલેણ હથીયારો વડે માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી લાશ અવાવરૂ જગ્યામાં જમીનમા દાટી દઈ પુરાવાનો નાસ કરવા માટે લાશને બીજી જગ્યાએ લઇજઇ ખાડો કરી દાટી દિધેલ હોવાની કબુલાત આપેલ હતી.

ત્યારબાદ એસપી શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીર્લં ની સુચના મુજબ ર્ંકુતિયાણા પો.સ્ટેના પો.સબ ઇન્સ. કે.એસ.ગરચર તથા એલ.સી.બી.ના પો.સબ ઇંન્સ. એચ.એન.ચુડાસર્માં તેઓની ટીમો સાથે આરોપી (૧) અજય અરજણભાઇ વિક્રમભાઇ બાટવા જાતે આહિર રહે જુનાગઢવાળાને સાથે લઇ જુનાગઢ મુકામે જઇ પ્લાસવા ગામની પડતર પથ્થરની ખાણ વિસ્તાર માં સર્ચઓપરેશન હાથ ધરેલ હતુ અને આ સર્ચ ઓપરેશનમા જુનાગઢ ડીવાયએસપી પી.જી જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ ઇન્સ. આર.કે.ગોહિલ તથા જુનાગઢ સી.ડીવીઝન પો.સબ ઇન્સ. બડવા તથા પો.સબ ઇસ વાજા પણ તેમની ટીમો સાથે જોડાયેલ હતા. આ દરમ્યાન એસ.ડી.એમ. જુનાગઢ નાઓની હાજરીમા ખોદકામ કરાવડાવી મરણ જનાર મેણંદભાઇ નાથાભાઇ લુવાની લાશ પથ્થરની ખાણમા જમીનમા દાટેલ હોય જે લાશ બહાર કાઢેલ હતી.

કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે.એસ.ગરચર એ ફરીયાદી લખમણભાઇ લુવા જાતે આહીર ઉ.વ.૨૬ ધંધો નોકરી રહે ગોકરણ તા કુતીયાણા જી.પોરબંદર વાળાની ફરીયાદ લઇ જુનાગઢ તાલુકા પો.સ્ટે. મા કલમ ૩૦૨,૩૬૫,૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૨૦૧,૧૨૦(બી) જીપીએકટ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.

આ કામગીરીમાં કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.એસ.ગરચર, તથા એલ.સી.બી. પો.સ.ઇન્સ એચ.એન.ચુડાસમા તથા કુતિયાણા પો.સ્ટે.ના બી.ટી.બાલચ, બી.એલ.જાડેજા, નટુભાઇ, અરજણભાઇ, જીવાભાઇ, ભરતભાઇ તથા એલ.સી.બી. ના બટુકભાઇ, રવિભાઇ, ગોવિંદભાઇઙ્ગ વિગેરે એ જહેમત ઉઠાવેલ હતી.

(11:42 am IST)