Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ભાજપ હિન્દુ-મુસ્લિમની પપુડી વગાડીને સતા મેળવે છે, એટલે ''અવસર'' આવ્યો છે રૂડા આંગણે તેને સ્વીકારવો પડેઃ હાર્દિક પટેલ

જસદણનાં રૂપાવટીમાં ખેડૂત વેદના સંમેલનમાં આકરા પ્રહારો

જસદણ તા. ૧૪: કાલે સાંજે વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહી રાજયની સરકાર સામે બેફામ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. એણે દેણું ત્રણ લાખ કરોડ સુધી પહોંચાડી દીધું છે. કેશુભાઇ જયારે મુખ્ય પ્રધાન હતાં ત્યારે માત્ર ૨૭૦૦ કરોડ દેવું હતું.

હાર્દિક પટેલે વધુમાં કહયું કે, પાક વિમો મળતો નથી. ખેડૂતોની દેવા માફી હવામાં લટકી છે. વીજળી મળતી નથી, પેટ્રોલ ડીઝલ ગેસ ખાતરનાં ભાવો અધધ વધી ગયાં, કપાસના ભાવો ઘટી રહયા છે. જો તમે આ ચૂંટણીમાં ગાંઠીયા, ગુંદી, ભજીયા ખાશો તો તમને આવનાર પેઢી પણ માફ નહીં કરે પોતાની લડત માટે બહાર આવી ભાજપને ભગાડો ભાજપ એ જસદણ વિંછીયામાં સાવકી માં જેવો વ્યવહાર કર્યો છે. ભાજપનું કામ જ્ઞાતિ -જ્ઞાતિ વચ્ચે લડાવવાનું છે.

છેલ્લે હિન્દુ-મુસ્લિમની પપુડી વગાડી સત્તા મેળવે છે એટલે અવસર આવ્યો છે રૂડો આંગણે તેમ કહી કોંગ્રેસને મત આપવા જણાવ્યું હતું.

રૂપાવટીમાં ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ગુજરાત ની પરિસ્થિતિ ખરાબ છે. વીજળી નથી મળતી, પાક વીમા નથી આપવામાં આવતા આ સ્થિતિ સામે આપણે લાચાર છીએ.

હાર્દિક પટેલે કહ્યું કે તમે નથી બોલી રહ્યા , તમે બધા લાચાર છો , યુવાનો બેરોજગાર છે. નોકરી નથી મળતી આપણે જેને ચૂંટી તેને સાહેબ કહેવાનું બંધ કરો તો તમારા કામ થશે

હાર્દિકે કહ્યું કે ૨૦ તારીખે રિઝલ્ટ ન આવ્યું તો ખેડૂતે હારવું પડશે.અવસર આવ્યો આંગણે એને પણ સ્વીકારવો પડે એ ધ્યાન રાખજો છેલ્લાઙ્ગ ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે , ૨૦ વર્ષ થી કુંવરજીભાઇ છે. ૬ મહિના થી મંત્રી બન્યા તેમને શુ કર્યું તે સવાલ કરવાના છેઙ્ગ ૨ મહિના માં ૨૩ ખેડૂતે આત્મહત્યા કરી , કોઈ નેતા ખેડૂત ના ઘરે નથી ગયોઙ્ગ આપણે દરેક વસ્તુ સહન કરીએ છીએ

જસદણ અને વીંછીયા સાથે વિકાસ ની સાવકી મા જેવો વ્યવહાર કરવામાં આવ્યો જસદણ વીંછીયા માં વિકાસ નો જન્મ નથી થયો. ૫ રાજયોના પરિણામ આવ્યા ત્યાંની જનતા જાગૃત છે આપણે હજુ જાગૃત નથી.

ખેડૂતો સામે આપણે લડતા નથી. આ લડાઈ સમજના હિત માટેની છે યુવાન ના ભવિષ્ય ની છેઙ્ગ જસદણ વીંછીયામાંથી મારે તમારા મત નથી લેવાના ભાજપ કોંગ્રેસના ગુંદી ગાઠીયા ન ખાવા વિનંતી કરું છું.

હાર્દિક પટેલે લોકોની સહનશકિત અંગે કહ્યું કે લોકરક્ષક માં પેપર લીક થયાપરંતુઙ્ગ યુવાન સામે નથી આવતોઙ્ગસીએનજીમાં ભાવ વધે તો રીક્ષા ચાલકો હડતાલ કરે DAP ના ભાવ વધે તો ખેડૂત વિરોધ નથી કરતોઙ્ગ ગેસ ના બાટલા ના ભાવ વધે એક પણ લોકો બોલવા તૈયાર નથી

ડીઝલના ભાવ વધ્યા કોઈ બોલવા તૈયાર નથી તમાશો જોવામાં બધા ને રસ છે અમે ભાજપમાં ન ગયા હતા.. એટલે અમને બદનામ કરવામાં આવ્યા,ઙ્ગ અમને ડર નથી એટલે અમે મોદી ની સામે છાતી ઠોકી ને લડવા ઉભા થયા છીએ

ઙ્ગહાર્દિકે કહ્યું કે ગુજરાત વિકાસ મા પાછળ ધકેલાય રહ્યું છે ૧૮ વરણ દુઃખી છે એટલે આજે ખેડૂત વેદના સંમેલન કરવું પડ્યું તેલ ૨૦૦૦ રૂપિયા મગફળી ૭૦૦ રૂપિયા પણ કોઈ બોલવા તૈયાર નથીઙ્ગ રાજયના ૪૩% ખેડૂત ના ખાતામાં માત્ર ૧૦ હજાર રૂપિયા છેઙ્ગ સરકાર ભાજપ ખેડૂત વિરોધી સરકાર છે.

તમારા પર આરોપ કરે , સેકસ સીડી બહાર પાડે એ ભાજપ સરકારઙ્ગ મને કોઈ મકાન ભાડે નથી આપતું , સરકાર કિનાખોરી કરે છે.

હાર્દિક પટેલે કહ્યું કે, જસદણ અને વીંછિયા આજ પણ વિકાસની દોડમાં ખૂબ પાછળ રહ્યું છે.જસદણ તાલુકામાં રહેતા ખેડૂતો ખૂબ દુઃખી છે.સંઘર્ષ કરી રહ્યા છે.જસદણ અને વીંછિયા ના યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે.રાજયમાં ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે.દિવસેને દિવસે ખેડુત ગરીબ થતો જાય છે.ટેકાનો ભાવ હોય,સમયસર વીજળી આપવાની વાત હોય કે ખાતર અને બિયારણ માં રાહત આપવાની વાત હોય આ તમામ પરિસ્થિતિમાં ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને ફકત અને ફકત પરેશાન કરવાનું કામ કર્યું છે.સભામાં આવેલી ખેડૂતની આ ભીડ મને જોવા માટે નહીં પરંતુ પોતાના મૌલિક અધિકાર ને મજબૂત બનાવવા માટે આવ્યા છે.ભારતમાં આશરે દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે.ખેડૂતોએ ખેતીમાં એટલું નુકસાન ઉઠાવવું પડે છે કે તેઓ વ્યાજે પૈસા લઈને પણ વ્યવસ્થિત ખેતી કરી શકતા નથી.ત્યારબાદ તેઓ કોઈ ઝેરી દવા પીને અથવા તો રેલવેના પાટા પર અથવા તો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લે છે.પરંતુ છેલ્લા બે દાયકાઓથી તેમની ખરાબ સ્થિતિ અને આત્મહત્યાઓની ઘટનાઓથી એવું માલૂમ પડી રહ્યું છે કે ખરેખર ખેડૂતોના મરવાથી કોઈને કંઈ ફરક પણ પડતો નથી.(૧.૧૦)

(12:07 pm IST)