Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મોરબી પંથકમાં બે અકસ્માતમાં બેના મોત

બેલા રંગપર પાસે ટ્રકે બાઇક સ્વાર બે યુવાનોને ઉલાળતા દિપકનું અને અમરાપર ગામે ટ્રેકટ્રર પલ્ટી ખાઇ જતા ઉદય કોળીનું મોત

મોરબી તા.૧૪: મોરબી પંથકમાં અકસ્માતના બે અલગ-અલગ બનાવેોમાં બે વ્યકિતઓના મોત નીપજ્યા હતા.

પ્રથમ બનાવમાં મૂળ બિહારના અને હાલમાં મકનસરના, ગોકુલનગર ગામે રહેતા ફરિયાદી ઇન્દ્રમણીકુમાર અરૂણસિંગ અને તેનો મિત્ર દિપક ગતરાત્રીના પોતાના મો.સા.પર જઇ રહ્યા હતા ત્યારે પુરઝડપે આવતા ટ્રકનં-એમ.પી.૪૩ એલ ૧૨૬૯ના ચાલકે તેઓને હડફેટે લેતા ફરિયાદીને ઇજાઓ થઇ હતી જયારે પાછળ બેઠેલા દિપકને માથાના ભાગ સહીત ગંભીર ઇજાઓ થતા  તેનું મોત નિપજયુ હતું.

બીજા બનાવમાં મોરબી તાલુકાના અમરાપર (ના)ગામના પાછળના ભાગે રહેતા ઉદય રસીકભાઇ રૂડાતલા-કોળી (ઉ.વ.૧૫) ખેતરેથી મજુરી કામ કરી ટ્રેકટર નં.જીજે ૩ એસએસ ૨૩૯૬માં ટ્રેકટરમાં બેસી ઘેર આવતો હતો ત્યારે ટ્રેકટર પલ્ટી મારી જતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી અને ઉદયનું મોત નિપજ્યુ હતું. હિતેષ અવચળ  રૂડાતલાએ ટ્રેકટર ચાલક સુરેશ વેલજી કોળી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મારૂતિએ હળફેટે લેતા ઇજા

રફાયેશ્વર ગામે રહેતા વિનુભાઇ વાતજીભાઇ પારીયા ગઇકાળે રફાળેશ્વર પાસે પગપાળા જતા હતા ત્યારે મારૂતિ ચાલકે તેમને હળફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થતા પ્રથમ મોરબી બાઇ રાજકોટ સારવારમાં રીફર કરાયા છે.(૧૭.૧૭)

(12:07 pm IST)