Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જામજોધપુરના ધુનડા ગામે ર૩મીએ હરિરામબાપાનો પ્રાગટય મહોત્સવ

જેન્તીરામબાપાના સાનિધ્યમાં વિવિધ ધર્મભીના કાર્યક્રમો : સેવકોમાં અનેરો ઉત્સાહ

જામજોધપુર, તા. ૧૪ : તાલુકાના ધુનડા ગામે સતપુરણીધામ આશ્રમે સંત શ્રી હરિરામબાપાનો પ્રાગટય દિન જેન્તીરામબાપાના સાનિધ્યમાં તા. ર૩મીએ ઉજવાશે.

આ પ્રસંગે ભાવિકો લાભ લઇ શકે તે માટે વિશાળ જગ્યામાં સમીયાણો બંધાશે. બહારગામના ભકતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રખાશે. ધર્મોત્સવને નિમિતે સ્વયંસેવકોની ટીમ પણ બનાવવામાં આવનાર છે.

ધર્મલાભ લેવા જુનાગઢ, મુંબઇ, સુરત, કચ્છ, અમદાવાદ, જામનગર, જામજોધપુર, સુરેન્દ્રનગર, સહિતના શહેરોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

આ પ્રસંગે દંતયજ્ઞ અને રકતદાન કેમ્પનું પણ આયોજન થવાનું છે. દંતયજ્ઞમાં રાજકોટના ડો. જયસુખભાઇ મકવાણા અને સહાયક મીનાબેન ભટ્ટ સેવા આપશે. રાત્રીના ભજન, લોકસંગીતનો કાર્યક્રમ પણ રખાશે.

(11:23 am IST)