Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સોમનાથમાં ૧૭મીએ પૂર્વ-સ્‍વ. સૈનિકોના ધર્મ પત્‍નિઓનું સંમેલન યોજાશે

પ્રભાસ પાટણ ,તા.૧૪:ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/સ્‍વ.સૈનિકોના ધર્મપત્‍નિઓ અને તેઓના આશ્રિતોનું સંમેલન તા.૧૭-૧૧-૨૦૧૯ના રોજ સવારે ૯ કલાકે શ્રી રામ મંદિર,ઓડીટોરીયમ હોલ,સોમનાથ ખાતે યોજાશે. કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર છે.

આ સંમેલનમાં પૂર્વ સૈનિકો/શહીદ-દિવ્‍યાંગ સૈનિકોના ધર્મપત્‍નિઓ અને તેઓના આશ્રિતોને કેન્‍દ્ર સરકાર,ગુજરાત સરકાર અને રાજય સૈનિક બોર્ડ દ્રારા આપવામાં આવતી વિવિધ સહાય તથા સવલતોથી માહિતગાર કરવા તેમજ તેઓના સબંધિત સરકારી કચેરીને લગતા પ્રશ્ર્નો અને સમસ્‍યાઓનું નિરાકરણ કરવામાં આવશે.

આ સંમેલનમાં સૈનિકો/સ્‍વ.સૈનિકોના ધર્મપત્‍નિઓએ ઉપસ્‍થિત રહેવા શ્રી સોમનાથ માજી સૈનિક સંગઠન વેરાવળના પ્રમુખશ્રી રામભાઈ ચારીયાની યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)