Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

બામણબોર નવાપરામાં ધીરૂભાઇ ધલવાણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

માનસીક બીમારીથી કંટાળી પ્રૌઢે બારીની ગ્રીલ સાથે દોરી બાંધી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૪ :.. બામણબોર નવાપરામાં રહેતા કોળી પ્રૌઢે માનસીક બીમારીથી કંટાળી બારીની ગ્રીલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ બામણબોર નવાપરામાં રહેતા ધીરૂભાઇ હમીરભાઇ ધલવાણીયા (ઉ.પપ) એ પોતાના ઘરે બારીની ગ્રીલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્‍ની જોઇ જતા ધીરૂભઇને તાકીદે સારવાર માટે કુવાડવા હોસ્‍પીટલમાં ખસેડાયા હતાં. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ આર. કે. ડાંગર તથા જેન્‍તીભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ધીરૂભાઇ ખેતી કામ કરતા હતાં. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. માનસીક બીમારીના કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યું છે.

(1:42 pm IST)