Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જામનગરમાં ગુરૂદ્વારાના દર્શને જતા ધારાસભ્ય જાડેજાઃ

જામનગરઃ અહિના ગુરૂદ્વારા ખાતે ગુરૂ નાનકજીની પ૫૦મી જન્મ જયંતિ નિમિતે જામનગરના ધારાસભ્ય અને રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા તેમજ કુટીર ઉદ્યોગના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) દર્શનાર્થે પહોચ્યા હતા ને ત્યાં ગુરૂદ્વારા ખાતે તેઓએ ગુરૂ નાનકજીના દર્શન કર્યા હતા. તેઓનું ગુરૂદ્વારા કમિટી દ્વારા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)નુ સન્માન કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે તેઓ અખંડ પાઠ સાહેબમાં પણ જોડાઇને લંગરમા પણ પ્રસાદ લીધો હતો. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મુકુંદ બદીયાણી)

(12:04 pm IST)