Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગોંડલના શીવરાજગઢની સીમમાં શેઢા પ્રશ્ને મનસુખભાઇ વોરા પર હુમલો

હરસુખ વોરા અને સાહિલ વોરા સામે ગુનો

રાજકોટ તા. ૧૪: ગોંડલના શીવરાજગઢની સીમમાં શેઢા બાબતે પટેલ પ્રૌઢ પર બે શખ્સોએ કોદાળી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શીવરાજગઢ ગામમાં રહેતા મનસુખભાઇ શંભુભાઇ વોરા ગઇકાલે ગામ પાસે આવેલી પોતાના ખેતરમાં પાણા વીંણીને સંયુકત પાળા ઉપર નાખતા હોઇ, જેથી હરસુખ વોરા અને પુત્ર સાહિલ હરસુખ વોરાએ આવી ગાળો આપી 'પાણા શું કામ અમારા પાળ ઉપર નાખો છો' કહી ઝઘડો કરી મનસુખભાઇને માથામાં કોદાળી ફટકારી દીધી હતી, અને પાવડો ફટકારી હાથ તથા પગમાં ઇજા કરી નાસી ગયા હતા. બાદ મનસુખભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસે મનસુખભાઇ વોરાની ફરીયાદ પરથી પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. જે. વી. વાળા એ તપાસ હાથ ધરી હતી.

(11:58 am IST)