Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જામનગરમાં વધુ ર આંચકા કચ્છની ધરા પણ ધ્રુજી

જામનગર-જીલ્લામાં ધરતીકંપના કારણે લોકો ભયભીત : છેલ્લા ર૦ દિવસમાં સંખ્યાબંધ વખત ભૂકંપઃ ર૪ કલાકમાં ૭ આંચકા

રાજકોટ, તા.૧૪ : છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં અસ્થિરતા સાથે ભૂકંપના આંચકાનો અનુભવ થઇ રહ્યો છે. જામનગરમાં કાલે રાત્રીના ભૂકંપના ર અને કચ્છમાં એક આંચકાનો અનુભવ થયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે, કાલે બુધવારે રાત્રીના ૩-૦૯ વાગ્યે ર.૩ની તીવ્રતાનો તથા ૩-૧પ વાગ્યે ર.ર ની તીવ્રતાનો આંચકા જામનગરમાં અનુભવાયા હતાં.

જયારે કચ્છના ભચાઉમાં વહેલી સવારે ૪-૧૦ વાગ્યે ૧.૭ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વીસેક દિવસથી જામનગર અને જીલ્લામાં સંખ્યાબંધ ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો છે.

છેલ્લા ર૪ કલાકમાં જામનગર અને જીલ્લામાં ર૪ કલાકમાં સાત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

(11:48 am IST)