Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મનીષા અને સુરજીત સાથે સીટની ટીમ કચ્છમાં: જેન્તી ભાનુશાલીના ગામે તથા મનીષા સાથેના ફાર્મ હાઉસ અને તબેલાની તપાસ

ભુજ,તા.૧૪: ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઝડપાયા બાદ ૧૨ દિવસના રિમાન્ડ પર રહેલ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ સાથે રાખીને રેલવે પોલીસે કચ્છમાં તપાસ કરતાં ફરી એકવાર વધુ નવાજુનીના એંધાણ મળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીટના વડા ગૌતમ પરમારની આગેવાની હેઠળ પોલીસ ટીમે મનીષા, સુરજીત અને મૃતક જેન્તી ભાનુશાલી તેમ જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના મતવિસ્તાર, જેન્તી ડુમરાના કાર્યક્ષેત્ર એવા અબડાસા તાલુકાની મુલાકાત લીધી હતી.

સીટની ટીમ મૃતક જેન્તીભાઈના ગામ હાજાપર તેમ જ મનીષાનું ફાર્મ હાઉસ, તબેલો જયાં આવેલો છે, તે કનકપર ગામે ગઈ હતી. જયાં આ હત્યા કેસ અંગે તેમ જ મૃતક અને આરોપીઓ વચ્ચેના સંબંધો, તેમના ધંધાકીય વ્યવહારો, જમીન વિશેના વિવાદ, રાજકીય વેરઝેર અંગેની વિગતો, આધારપુર મેળવી હતી. જોકે, સીટ દ્વારા આ અંગે કોઈ સત્ત્।ાવાર જાણકારી અપાઈ નથી પણ આ મુલાકાત તપાસને નવી દિશા આપી શકે છે.

(11:47 am IST)