Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હળવદના માણેકવાડામાં પતિના ત્રાસે પત્નિનો આપઘાતની રાવ

વઢવાણ તા. ૧૪ :.. ધ્રાંગધ્રાના રહેવાસી સુખદેવભાઇ બાજુભાઇ સોનેચાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી પતિ નીલેશ શીવાભાઇ કટોણા રહે માણેકવાડા તા. હળવદ વાળાએ ફરીયાદીની બહેન રેખાબેન (ઉ.ર૭) પર ચારિત્ર અંગે ખોટી શંકા-કુશંકા રાખી શારિરીક માનસીક ત્રાસ આપી મારકુટ કરી મરવા મજબુર કરતા રેખાબેને પતિનો દુઃખ ત્રાસ સહન નહિ થતા ઝેરી દવા પી આપઘાત કર્યો છે. હળવદ પોલીસે મરવા માટે મજબુર કર્યા અંગે પતિ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:37 am IST)