Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કાલે પડધરીના મોવૈયા શ્રી વિશ્વકર્મા મંદિરે ત્રિવિધ કાર્યક્રમો

શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ, વિદ્યાર્થી સન્માન, પરિચય ગ્રંથનું વિમોચન

 પડધરી, તા. ૧૪ :. કાલે તા. ૧૫ને ગુરૂવારે પડધરીના મોવૈયા ગામે શ્રી વિશ્વકર્મા મંદિરે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ તથા વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે પરિચય ગ્રંથ વિમોચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરેલ છે.

આ ઉત્સવમાં સવારે ૬ કલાકે શ્રી રાંદલ માતાજીનું સ્થાપન તથા સવારે ૧૦ કલાકે ગોરણીઓ અને બહારગામથી આમંત્રીત મહેમાનો, જ્ઞાતિ આગેવાનો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાર બાદ બપોરે ૩ કલાકે વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ પરિવાર પરીચય ગ્રંથ વિમોચનનુ ભવ્યતાથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, ત્યાર બાદ સ્નેહ ભોજનનું આયોજન આજે ૭.૩૦ કલાકે યોજાશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનમાં ગુર્જર સુથાર સમાજના મોભી એવા શ્રી ડો. જયંતિભાઈ ભાડેસિયા - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક તથા જગભાઈ ખીમજીભાઈ ભારદીયા-અધ્યક્ષ ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ, અતિથિ વિશેષમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા-રાજકોટ, ધારાસભ્ય, ગોવિંદભાઈ પટેલ-રાજકોટ ૭, ધારાસભ્ય લલીતભાઈ કગથરા-પડધરી, ટંકારા, સમાજને માન આપીને ખાસ ઉપસ્થિત રહેશે તથા શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના અગ્રણી એવા પ્રમુખ રસીકભાઈ બદ્રકીયા, રમણીકભાઈ ગોરેચા-પ્રમુખ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ જામનગર, શ્રી ધીરૂભાઈ વાલંભીયા-સભ્યશ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર, શ્રી પ્રફુલભાઈ સુરેલીયા-પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ ગીતા મંદિર અમદાવાદ, શ્રી જસ્મીનભાઈ ભાલારા-પ્રમુખ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબી વગેરેનુ ભવ્ય સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવશે.

આ સાથે આમંત્રિત મહેમાનોમાં જ્ઞાતિના પ્રમુખ આગેવાનોમાં મગનભાઈ બોરાણીયા-રાજકોટ, દયાળજીભાઈ ભારદીયા-જામનગર, ધનજીભાઈ પંચાસરા-રાજકોટ, ચમનભાઈ ગોવિંદીયા-રાજકોટ, ભરતભાઈ ખારેચા-રાજકોટ, પ્રવિણભાઈ કલોલીયા-અમદાવાદ, ડી.જે. બાવળેચા-અમદાવાદ, કિશોરભાઈ બકરાણીયા-રાજકોટ, હિનાબેન અઘેરા-જામનગર, સુરેશભાઈ વડગામા-જૂનાગઢ, મહેન્દ્રભાઈ સુરેલીયા-પોરબંદર, હરીભાઈ વઘાડીયા પ્રમુખ-જામખંભાળીયા, સરપંચ ડો. વિજયભાઈ પરમાર-પડધરી, સરપંચ નિલેષભાઈ તળપદા-મોવૈયા, પીએસઆઈ જે.વી. વાઢીયા, શ્રી ગોઠી મામલતદાર શ્રી પડધરી, બાવનજીભાઈ મેતલીયા-પૂર્વ ધારાસભ્ય, ધીરૂભાઈ તળપદા-જીલ્લા પંચાયત રાજકોટ, વિજયભાઈ ડોબરીયા - માનવ સેવા ટ્રસ્ટ, શ્રી ગણાત્રા ટીડીઓ પડધરી તથા પડધરી તેમજ આસપાસના ગામ ધ્રોલ, વાંકાનેર, ધોરાજી, જૂનાગઢ, રાજકોટ, મોરબી, પોરબંદર, અમદાવાદ, જામનગર, મેટોડા, ધનસુરા વગેરે ગામેગામથી મહેમાનો હાજર રહેશે.

સફળ બનાવવા સતિષભાઈ વડગામા-પ્રેસ રીપોર્ટર તથા ગુર્જર સુથાર જ્ઞાતિ મોવૈયા-પડધરીના ટ્રસ્ટી મંડળ પ્રમુખ ભરતભાઈ જે. કડેચા, મંત્રી કિરીટભાઈ એન. ધ્રાંગધરીયા, ખજાનચી નિલેષભાઈ જે. ધ્રાંગધરીયા, સભ્ય રતીલાલભાઈ અખીયાણીયા, મહેન્દ્રભાઈ ભાલારા, વિનોદભાઈ ઘોરેચા, સુભાષભાઈ પંચાસરા, સુરેશભાઈ વડગામા, મનસુખભાઈ ભાલારા અને રવિભાઈ ધ્રાંગધરીયા સાથે યુવા ગ્રુપના તમામ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ગ્રામ્ય વિસ્તાર મોવૈયા-પડધરી પ્રમુખ ભરતભાઈ જે. કડેચા (મો. ૯૮૨૫૫ ૦૬૫૭૦)ની યાદીમાં જણાવ્યું છે.

(1:42 pm IST)