Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગોંડલ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ભવ્ય સિંહાસન ઉદ્દઘાટન મહોત્સવ

ગોંડલઃ  રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામના પાટીયા પાસે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. ૧૧મીના રવિવારના રોજ સાતમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત સિંહાસન અર્પણ એવમ ઉદ્દઘાટન મહોત્સવની ઉજવણી થઈ હતી જેમાં પાટોત્સવ પૂજન અભિષેક, ધ્વજાજી પૂજન, મારૂતિ યજ્ઞ, સિંહાસન અનાવરણ, અન્નકોટ આરતી, સત્સંગ સભા તેમજ શકોત્સવ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું  જેમાં ૫૦૦૦ થી પણ વધુ ભકતોએ લાભ લીધો હતો. મુખ્ય યજમાન પદે રાજકોટના દાદાના કૃપા પાત્ર જયેશભાઇ જગદિશભાઇ કાચા પરિવારે લાભ લીધો હતો. પૂ. નારાયણ સ્વામી , પૂ. સરજુદાસજી ગોડલથી, પૂ. હરિવલ્લભ સ્વામી હરદ્વાર પૂ. રાધારમણ સ્વામી પૂ. વિવેકસાગર સ્વામી ઉપરાંત ધામ ધામેથી પૂજય સંતોની ઉપસ્થિતિ રહી દશઁન આશિવઁચન આપ્યા હતા તેવું મહંત શ્રીહરિદાસજી સ્વામી , શાસ્ત્રી શ્યામસુંદરદાસજીની યાદીમાં જણાવાયું છે.

(12:21 pm IST)