Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રળિયાણા ખાતે કથામાં રૂપાલા ઉપસ્થિતઃ

બોટાદઃ વિરાણી પરિવાર દ્વારા સમસ્ત રળિયાણા ગામ પિતૃ મોક્ષાર્થે રળિયાણા ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથાના પ્રારંભમાં મંત્રીશ્રી પુરૂષોત્ત્।મભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતા. તા.૧૭-૧૧-૨૦૧૮ ના રોજ આ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.  વ્યાસપીઠ પર બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત પૂ. પ્રભુચરણ સ્વામી કથામૃતનું રસપાન કરાવશે. આ કથામાં વિવિધ કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, પ્રાથમિક શાળા, અવેડો, પક્ષીઘર, પાણીની ટાંકી, ઊંડા કરેલ તળાવનું લોકાર્પણ જેવા કાર્યો  કરવામાં આવશે. આ કથાના પ્રારંભમાં મંત્રીશ્રી પુરૂષોત્ત્।મભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી ગામ ખાતે બનાવેલ અવેડાનું લોકાર્પણ કર્યું હતું. આ કથામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચો પ્રમુખ બાબુભાઈ જેબલીયા, ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના મહાનુભાવો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સ્થાનિક અધિકારીશ્રી તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

(12:28 pm IST)