Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પૂ.જલારામબાપાની લાકડી ખજૂરી પીપળીયામાં

 આજે સંતશ્રી જલારામબાપાની ૨૧૯ મી જન્‍મજયંતી ભકિતભાવથી ઉજવાય રહી છે. આજ થી પોણા બસો વર્ષ પહેલા પ.પૂ.સંત શ્રી જલારામ બાપા તેમના ગુરૂ ભોજલરામ બાપાને વિરપુર થી અમરેલી પાસે ફતેપુર ગામે આવતા જતા ત્‍યારે રસ્‍તામાં કુકાવાવ પાસેના માધા ઠકકરના પીપળીયા ગામે વિશ્રમ માટે રોકાતા જયા તેમને રામજીભાઇ હીદડની મુલાકાત થઇ રામજીભાઇનો ઉદાસ ચહેરો જોઇને જલારામબાપાએ પૂછયુ કે ભગત કેમ ઉદાસ છો ત્‍યારે રામજીભાઇએ કહ્યુ કે મારા ઘરે દુજાણુ બંધ થઇ ગયુ છે. આ સાંભળીને જલારામબાપાએ તેમની સાથે રાખતા નેતરની લાકડી આપી અને કહ્યુ કે આ લાકડી તમારા ઘરના રસોડામાં રાખજો ભગત અને દર સોમવારે ઘી ની વાટકી ચોપડજો બધા સારા વાના થઇ જશે. તમારે ત્‍યા અખંડ દુજાણુ અને અખંડ ભંડારો ભરપુર રહેશે. આજે પાંચમી પેઢીએ પણ નિર્મળાબેન હીદડનો પરિવાર સંતશ્રી જલારામ બાપાની આપેલી પ્રસાદીરૂપી લાકડી કયારેય નીચે જમીન ઉપર નથી રાખતા અને પરંપરા મુજબ ધુપ દિવા કરે છે ને દર સોમવારે લાકડીને ઘી ચોપડે છે. નિર્મળાબેન પ્રસાદીરૂપી પ.પૂ.સંતશ્રી જલારામબાપાની લાકડીના માપ વિશુ પુછયુ તો કહે છે કે આ લાકડીનુ કોઇ માપ નકકી નથી. આ વર્ષે સાડા પાંચ વેત થઇ હોય તો બીજા વર્ષે પાંચ વેતની હોય છે. તો વળી ત્રીજા વર્ષે સાડા પાંચ વેતથી થઇ જાય છે. જો કે બાપાની લાકડી પર તેના ભાવિકો અખુટ શ્રધ્‍ધા ધરાવે છે. આજે આ ગામ માધા ઠકકરના પીપળીયાના બદલે ખજુરી પીપળીયાના નામે ઓળખાય છે. પણ સાધુવેશમાં ભગવાન એ સંતશ્રી જલારામબાપા અને માતૃશ્રી વિરબાઇ માતાને ધોકો અને જોળી પ્રસાદરૂપે આપેલા જે વિરપુર મંદિરમાં ભકતજનોના દર્શનાર્થે રાખવામાં આવેલ છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:49 am IST)