Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પ્રાચી તીર્થના માધવરાય મંદિરના મહંત સામે લગ્નનું પ્રલોભન આપી બળાત્કાર ગુજાર્યાનો આરોપ : ચકચાર

લગ્નની લાલચ અપાતા પેટીસ સાથે છૂટાછેડા લઇ લીધેલા :દુષ્કર્મ ગુજારી લગ્નનો કર્યો ઇન્કાર :બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી

ગીર સોમનાથના પ્રખ્યાત પ્રાચી તીર્થમાં આવેલા માધવરાય મંદિરના મહંત સામે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરાઈ છે એક પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે.

 

   પરિણીતાએ કરેલી ફરિયાદ મુજબ મહંતે લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ તેણે તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધેલા પરંતુ આરોપી મહંતે લગ્ન કરવાને બદલે બળાત્કાર ગુજારી લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પીડિતાએ ફરી તેના પૂર્વ પતિનો સંપર્ક સાધ્યો અને ઘટનાના પાંચ મહિના બાદ સહુએ મળીને પોલીસ ફરિયાદ કરી હતી.

   બીજીતરફ ફરિયાદના 10 દિવસ સુધી તો પોલીસ મહંતને શોધી ન શકી. આખરે સંકટ વધતું દેખાતા આરોપી મહંત સામેથી પોલીસ મથકમાં હાજર થતા પોલીસે તેની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે આરોપી મહંત રાજકીય વગ ધરાવતો હોવાનો અને તેને કારણે પોલીસ કાર્યવાહીમાં ઢીલાશ રાખી રહી હોવાનો પણ પીડિતાનો આક્ષેપ છે.

 

(9:35 pm IST)