Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ધુનડામાં પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ

જુનાગઢ : જામજોધપુર તાલુકના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે ગત રાત્રે શરદપૂનમ નિમીતે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ યોજાયો હતો જેમાં પૂ. બાપાએ જણાવ્યું હતું કે શરદપૂનમ એટલે આજથી શરદ ઋતુ શરૂ થાય છે. ઋષિ પરંપરાએ શરદપૂનમના દિવસે ચંદ્રમાં સોળે એ સોળ કળાએ ખીલી ઉઠે છે અને એ સોળે કિરણો પૃથ્થવી પર મનુષ્ય ઉપર પડવાથી રોગપ્રતિકારક શકિત વધે છે. તેમજ આજના તનાવ મુકત જીવનમાં સતત આનંદમયજીવન કેમ વિતાવવુ આધી વ્યાધિ ઉપાધિના ત્રિવીધ તાપમાંથી પ્રભુભકિત સ્મરણ કેમ કરવુ તેનુ માર્ગદર્શન આપ્યુ હતું ઉપરોકત તસ્વીરમાં શરદપૂનમનુ સત્સંગ દ્વારા મહત્વ સમજાવતા પૂ. જેન્તીરામબાપા તેમજ સત્સંગનો લાભ લેતા સત્સંગી પરિવારો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:54 am IST)